શુક્રવાર, 7 જુલાઈ, 2017

તા. ૮-૭-૨૦૧૭ ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

શાળામાં આજ તા. ૮-૭-૨૦૧૭ ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉજવણી  કાર્યક્રમાં ધોરણ- ૯ માંથી મોદી કનૈયાલાલ, કંકોડીયા દેવેન્દ્ર, , ધોરણ - ૧૦ માંથી દરજી રેખા , ધોરણ -૧૧ માંથી સોની દિલિપ અને ધોરણ -૧૨ માંથી શ્રીમાળી આરતી એ પોતાના વિચારો વાર્તાલાપ માં રજુ કર્યા હતા. તે પછી શાળાના શિક્ષક મિત્રો અને  આચાર્યશ્રીએ  પ્રાસાંગિક પ્રવચન આપ્યું હતું
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.

મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
 


















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો