શાળામાં તા.૧૬-૮-૨૦૧૬ ને મંગળવાર ના રોજ રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. તે પછી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો મારફત તહેવારનું ઈતિહાસીક મહત્વ પર વાર્તાલાભ ગોઠવવામાં આવ્યો હતો . તે પછી શાળાની વિદ્યાર્થીનિઓએ દરેક વિદ્યાર્થીના હાથે રાખડી બાંધી ને પોતે જીવન માં વ્યસન મુક્ત રહેશે અને એક વ્યક્તિને વ્યસન છોડાવશે તેવું વચન વિદ્યાર્થી પાસેથી લીધું હતું.
બુધવાર, 17 ઑગસ્ટ, 2016
મંગળવાર, 16 ઑગસ્ટ, 2016
૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ ની ઉજવણી
૧૫ ઓગસ્ટ ૨૦૧૬ના ૭૦ મા સ્વતંત્રત દિન ની ઉજવણી દર વખતની જેમ જ શાળામાં ઉત્સાહભેર કરવામાં આવી હતી ,ધ્વાજા રોહણ કાર્યક્રમ શાળાના પૂર્વ શિક્ષક શ્રી મયુરભાઈ એસ. દવે ના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી ખુશાલભાઈ પરમાર અને શ્રી ખુશ્બુબેન ફકિરે કર્યું હતું શાળાના બાળકોને શ્રી ખુશાલભાઈ,શ્રી ખુશ્બુબેન ફકિરે તથા શાળામાં તાલીમમાં આવેલ જોષી શિતલબેન,જોષી પૂજાબેન,દવે ગીતાબેન,રબારી લક્ષ્મીબેન અને યાદવ નિલમબેને માર્ગદર્શન આપી તૈયાર કર્યા હતા. છેલ્લે આભાર વિધી શાળાના શિનિયર શિક્ષક શ્રી મનોજભાઈ રાવેલે કરી હતી. શાળાના બાળકોને નાસ્તો પૂર્વ વિદ્યાર્થી શ્રી નાગજીભાઈ માળીએ કરાવ્યો હતો . તથા બાળકોને ઈનામ આવી પ્રોત્સાહન પૂર્વ વિદ્યાર્થી શ્રી જયંતીભાઈ એ આપ્યું હતું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)